Posts

Showing posts from April, 2018

માથાનું દાન - ઝવેરચંદ મેઘાણી

Image
કોશલ દેશના મહારાજાની તોલે તો કોઈ ન આવે. દુઃખીને એ શરણ દેનારા અને દીનના એ પિતામાતા. એવાં એનાં યશોગાન ગવાતાં. પ્રભાતે એનું નામ લઈને લોકો પાવન થતાં. કાશીનગરીની અંદર એક દિવસ ઉત્સવ થાય છે દેવાલયોમાં ઘંટારવ બજે છે, લોકોનાં ટોળેટોળાં ગીતો ગાય છે : 'જય કોશલપતિ !' સાંજને ટાણે સ્ત્રીઓએ પોતાના આંગણામાં દીપમાળ પ્રગટાવી છે. કાશીરાજ પૂછે છે : 'આ બધી શી ધામધૂમ છે?' પ્રધાન કહે કે : 'કોશલના ધણીનો આજે જન્મદિવસ છે.' 'મારી પ્રજા કોશલના સ્વામીને શા માટે સન્માન આપે?' 'મહારાજ ! પુણ્યશાળી રાજા માત્ર પોતાના મુલકમાં જ નહિ પણ જગત આખાના હૃદય ઉપર રાજ કરે છે. એની માલિકીને કેાઈ માટીના સીમાડા ન અટકાવી શકે.' 'એ...એ...મ !' કાશીરાજે દાંત ભીંસ્યા, ઇર્ષાથી એનું હૃદય સળગી ઊઠયું. ચુપાચુપ એકવાર કાશીની સેનાએ કોસલ ઉપર છાપો માર્યો, સેનાને મોખરે કાશીરાજ પોતે ચાલ્યા. સેના વિનાનો એ નાનો રાજા કોશલેશ્વર બીજું શું કરે ? ખડગ ધરીને રણે ચડ્યો, હાર્યો, લજજા પામીને જંગલમાં ગયો. પોતાને નગર પાછા આવીને કાશીરાજ વિજયોત્સવની રાહ જોઈ ઊભા રહ્યા. 'કોશલનું આખું રાજ મેં કબજે કર્યું...

આહીર હરઘોળ સોનારા

Image
ભારત ની ભૂમિ પર આહીરોના ઉજળા ઇતિહાસ છે. એમાં ઝાલાવાડમાં આહીર હરઘોળ સોનારા ની સ્વામી ભક્તિ અને વફાદારી માટે આહીર સમાજનું મસ્તક ઉંચુ રહે છે. મચ્છુ નદીના સેંજળ પાણી પીયને વીર આહીર હરધોળ સોનારા એ હળવદ ના છત્રસાલજી ઝાલા રાજવીનું જીવના જોખમે રા'ભારા સાથે યુદ્ધમાં રાજવીને બચાવ્યા અને ચારસો વીર આહીરો વેગડવાવની ભૂમિમાં બલિદાન આપીને સાચી સ્વામી ભક્તિ નિભાવી છે એ માટે આહિર કુળ વફાદારી અને સમર્પણ માટે ઉજ્જવળ છે. જ્યાં જે ભૂમિમાં ઝાલા ગરાસિયાઓએ રાજ કર્યુ એ પ્રદેશ ઝાલાઓ પરથી ઝાલાવાડ તરીકે ઓળખાય છે. ખમીર ખુમારી અમીરાત રાજશાસન શૈલીથી ઝાલાઓ નો ઇતિહાસ સુવર્ણમય છે તે દી' સુરેન્દ્રનગર પ્રાંતના હળવદ રાજના છત્રસાલજી ઝાલા રાજવી છે. આ રાજવીનો સુવર્ણકાળ છે ન્યાય પ્રિય રાજવી ને પ્રજાના સુખે સુખી ને પ્રજાના દુઃખે દુઃખી છે. ખેડૂતોની જમીન વિકાસ માટે ઘણા સુધારા કર્યા છે. છત્રસાલજી શુરવીરની સાથે દાતાર છે ઝાલાઓ ની શોર્યકથાને કારણે આજે પણ હળવદના સીમાડે અને પાદરમાં પાળિયા, ખાંભીઓ, ડેરીયું, સિંદુર લગાડેલા સતીઓ ના થાપા સફેદ ધજાઓ સાથે ફડાકા મારે છે. છત્રસાલજીનો સુવર્ણકાળ છે તે ઇર્ષાખોર ખાટ સ્વાદિયાઓ કચ્છ...

આશરો આહીર નો

Image
રામ કોઠીવાળની ત્રીજી પેઢીએ ભક્તિભાવ ધરાવતા લાખો કોઠીવાળ થયા હતા. રામ કોઠીવાળના ખાનદાની ખોરડાની ઉજળી પરંપરા તેના વંશજોએ જાળવી રાખતા લાખો કોઠીવાળ મજોકાંઠામાં ખૂબ આદર ધરાવતા હતા. જોકે લાખો કોઠીવાળ એક ન સમજાય તેવી મુંઝવણ હંમેશા અનુભવતા હતા. એક દિવસ સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામી શ્રીસહજાનંદજીના ગુરૂ બ્રહ્મજ્ઞાની સ્વામી શ્રીરામાનંદજી મોટા ભેલા પધારતા લાખા કોઠીવાળે પોતાના મનની પીડા તેમની સમક્ષ રજુ કરી હતી. રામાનંદ સ્વામીજીએ વાત સાંભળી આંખો બંધ કરી લાખા કોઠીવાળની મનની મુંઝવણનું રહસ્ય જાણી લેતા દારા શિકોહ થાપણ તેના ઘરમાં દાટેલી હોવાની માંડીને વાત કરી હતી. પોતાના પૂર્વજોને ત્યાં દારા શિકોહે મૂકેલ થાપણનો કેવી રીતે નિકાલ કરવો ? તેવી લાખા કોઠીવાળે રામાનંદ સ્વામીજીને વિનંતી કરી કહ્યું, ‘સ્વામીજી, પારકાના ધનનો પડછાંયો સુખ-શાંતિ હરનારા હોઈ આનો કંઈક મારગ બતાવો ?’ ’લાખા, ઈસ ધન કા કોઈ માલીક નહીં હૈ, આપ અપને લીએ ઈસ્તમાલ કર સકતે હો !’ ’ના, ઈ’ ન બને બાપજી ! મારા વડવાઓએ જે ધન થાપણ તરીકે સાચવેલ હોય ઈ’ મારા માટે તો હરામ બરાબર છે.’ લાખા કોઠીવાળની મકકમતા જોઈ રાજી થયેલ સ્વામી શ્રીરામાનંદજીએ બે ...

એ કોણ હતું..? અંધારી રાત ના ત્રણ પડછાયા...એક સત્ય ઘટના

Image
શિયાળાના અંધકારને ચીરીને મોડી રાત્રીએ ડીમ લાઇટ સાથે વેન બર્ફીલા રસ્તા પરથી ધીમી સ્પીડે દોડી રહી હતી. શિયાળાના દિવસો હતાં સ્નો સારો એવો પડી ગયો હતો અને હજુ પણ પડી જ રહ્યો હતો. ઠંડી અને સ્નો વધી રહ્યાં હતાં અને વધતાં જતાં સ્નોની સાથે રસ્તાઑ પણ લપસણા થઈ રહ્યા હતાં. પરંતુ ભૂમિ પર છવાયેલી આ બરફની ચાદરથી આકર્ષાયેલા અવકાશે અનોખી રીતે ચમકવાનું ચાલુ કરી દીધું હતું. આખી બપોર કલરવ કરી રહેલા બાળકો શાંતિથી સૂઈ ગયા હતાં. ૨૦૦૫ ના સાલનો નવેમ્બર મહિનો ચાલી રહ્યો હતો. અમે અમારા પરીવાર સાથે Thanks Giving કરીને ન્યુયોર્ક તરફ પાછા ફરી રહ્યાં હતાં. કારમાં મારા બાળકો સાથે દીદીનો પરીવાર હતો. વધતા જતાં અંધારા સાથે દોડતી કારમાં બાળકો આખા દિવસના કલરવ બાદ સૂઈ ચૂક્યા હતાં, અને હું ને દીદી પ્રભુ સ્મરણમાં મગ્ન હતાં. આગળની સીટ પર બેસેલા મારા પતિ અને મારા જીજુ આગળનો માર્ગ શોધવામાં મગ્ન હતાં કારણ કે અમારો એક્ઝિટ પાછળ રહી છૂટી જતાં અમારી કાર એક નાનકડા ટાઉનમાં ખોવાઈ ગઈ હતી. બારીના કાચમાંથી દેખાઈ રહેલું તે ટાઉન વરસી રહેલા સ્નોની અંદર છુપાયેલું હતું. ધુમ્મસ ભરેલ વાતાવરણમાં છૂપાયેલા રસ્તાઓ બર્ફિલી ઠંડીથી થીજી ગયેલા હતાં...

વીર દેવાયત બોદર

Image
   ઇ.સ. ૧૦૧૦નાં સમયમાં જુનાગઢ રાજ્ય ઉપર રા’ડિયાસનું શાસન તપતું હતું. ત્યારે સોલંકીઓએ દગાથી રા’ડિયાસની સેનાને હરાવી રાજાની હત્યા કરી હતી. પરંતુ કુળદપિ રા’નવઘણને બોડીદરનાં જ આહીર દેવાયત બોદરનાં ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. બાર વર્ષ બાદ તેની જાણ સોલંકીઓને થતાં દેવાયતને બોલાવી સોલંકીનાં દુશ્મનને તેમની પાસેથી માંગ્યો ત્યારે દેવાયત બોદરે તેમનાં પુત્રને આપી દીધો હતો. અને તેમની નજર સામે તેનો વધ કર્યો હતો. અને સમય જતાં રા’નવઘણને લઇ જુનાગઢ જીતી લીધું હતું. આમ ઈતિહાસમાં દેવાયત બોદર તેમની પત્ની આહિરાણી અને ઉગો- અમર થઇ ગયા છે. ગુજરાતનાં સોલંકીવંશના રાજા દુર્લભસેનની રાણીઓ કાઠિયાવાડની જાત્રાએ નીકળે છે. દામોકુંડમાં સ્નાન કરવાનો વેરો જૂનાગઢના રાજવી રા’ડિયાસે માંગતા રાણીઓને માઠું લાગ્યું અને સ્નાન કર્યા વિના પાટણ પાછી ફરી. અપમાનનો બદલો લેવા દુર્લભસેને જૂનાગઢ પર ચડાઈ કરી, પણ દિવસો સુધી મથવા છતાં ગઢનો કાંગરો ય ખેરવી શક્યો નહીં. છેવટે એક ચારણને જૂનાગઢના મહેલમાં રા’ નું માથું દાનમાં માગી લેવા મોકલ્યો. રા’ એ હરફ પણ ઉચ્ચાર્યો નહિ અને કવિરાજને માથું ઉતારી આપ્યું. આમ, સોલંકીઓએ કપટથી રા’ડિયા...

વીર આહીર ભોજા મકવાણા

Image
(ઇ.સ.16મી સદી ) મોરબીના મોટાદહીસરા ગામનો ઈતિહાસ ભોજા મકવાણાના નામે સુવર્ણ અક્ષરે લખાયેલ છે.ભોજા મકવાણાએ જાગીરદાર રણમલજી દેદા (જાડેજા )ના રાણી અને કુંવરને આશ્રય આપ્યો હતો. તેની બાતમી બાદશાહ મહમંદ બેગડોને મલતા તેણે દહીસરા આવી રાણી અને કુંવરને શોધવા તેમણે ભોજા મકવાણાના બન્ને ઘૂંટણમા સુથાર ની સારડીથી હાડકાંમા વીંધ કરાવ્યા છતા પણ તેનુ મન ડગ્યુ નહી. દીકરાની પીડા જોય નહી શકે એમ માની તેમની વ્રુધ્ધ માતાને બોલાવ્યા પણ માતા વિખેરાયેલા હાડકાંનો ટુકડો સુંઘે છે અને હસતા મોઢે ચાલવા લગે છે. બાદશાહે કરણ પૂછતા કહ્યુ:-“મારા દીકરાના હાડકાંમા હજુ મારા દૂધની સુગંધ આવે છે એટલે તમારુ કામ નથી કે તમે એનું મન ડગાવી લો. “આમ તેમણે આશ્રયે આવેલાનું રક્ષણ કર્યુ..” ધન્ય છે એ માતાને અને આહીર વીર ભોજા મકવાણાને ” Source: https://www.facebook.com/AhirSamajGujarati/