Posts

મોજથી જીવનારા | નરસિંહ આહીર | કવિતા

પાણી વિનાના દરિયા છીએ વહેતા અમને ન આવડે. અમે હંમેશા મોજ માં રેનારા રડતા અમને ન આવડે. સદાય રહીએ છીએ હસતા અને બીજા ને હસાવતા, એમ દુઃખી થઈ ને જીવતે જી મરતા અમને ન આવડે. રડાવે અગર કોઈ પોતાનું તો આમ ખોટે ખોટું રડી લેતા, બાકી આપણા પોતાનાને જ રડાવતા અમને ન આવડે. હોય દુઃખોની ભરમાર પણ ખુદ ને જ ખાલી સંભળાવતા, સાચી ખોટી દુઃખોની વાર્તાઓ કહેતા અમને ન આવડે. હોય કોઈ ખોટું તો સાચું એને એના મોઢા પર કહી દેતા, આમ સાવ ખોટી હા માં હા મલાવતા અમને ન આવડે. બે જણ કોઈ વઢતા હોય બન્ને ને શાંતી થી સમજાવતા, ખોટે ખોટા ઝગડાઓમાં વચ્ચે પડતા અમને ન આવડે. લખે છે એક આયર પૂર્વજો ના સાચા અનુભવો પરથી ખોટે ખોટી વાતો ને કાગળ પર ચિતરતા અમને ન આવડે -નરસિંહ આયર

[English] 7 Beautiful Lakes of Gujarat

Image
Kankaria Lake ©Mahargh Shah    Kankaria Lakeis the second largest lake in Ahmedabad, Gujarat, India. It is located in the south-eastern part of the city, in the Maninagar area. It was completed in 1451 during the reign of Sultan Qutb-ud-Din Ahmad Shah II though its origin is placed in the Chaulukya period sometimes. A lakefront is developed around it, which has many public attractions such as a zoo, toy train, kids city, tethered balloon ride, water rides, water park, food stalls, and entertainment facilities. The lakefront was revamped in 2008. Kankaria Carnival is a week-long festival held here in the last week of December. Many cultural, art, and social activities are organised during the carnival. Narayan Sarovar ©Amit.tannk    Narayan Sarovar or Narayansar is a village and place of pilgrimage for Hindus on the Kori Creek. It is located in Lakhpat taluka of Kutch district, Gujarat, India. The ancient Koteshwar temple lies only 4 km away. H...

ભગવાનનો માણસ

Image
ભગવાનનો માણસ કોઇપણ તેને પૂછે એટલે તેનો એક જ જવાબ હાજર હોય – દુનિયામાં સૌથી સુખી માણસ હું જ છું , મારૂં નામ મનસુખ ... મનથી જ સુખી . દુ;ખ ઠુકડું આવવાની હિંમત પણ ના કરે ...! અને મારા ઘેરથી આનંદી , પછી શું દુ:ખ હોય ...! દુ;ખ લાખ પ્રયત્ન કરે તો પણ મારી નજીક પણ ના ફરકી શકે . બહુ ફિલોસોફીભરી વાત હતી તેની . દુ:ખ અને સુખનું મૂળ કારણ જ મન છે . મન ચંગા તો કથરોટમાં ગંગા . માણસ મનથી નક્કી કરે કે હું સુખી છું તો સુખી . પણ માણસ અઢળક સુખોમાં આળોટતો હોય , બંગલા ,ગાડી અને છત્તરપલંગે પોઢતો હોય પણ તેના મનમાં જો એમ થઇ જાય કે હું દુ:ખી છું , તો અઢળક સંપત્તિ ,બંગલા , ગાડી , એ કશું ય તેને સુખ આપી શકે નહીં . આ મનસુખ તો પહેલેથી જ મનમોજી, મનનું ધાર્યું કરનારો,આખી દુનિયાને પડતી મૂકી માત્ર મનને શરણે જ જનારો , પછી દુ:ખી ક્યાંથી હોય ?! લોકો દુ:ખી કરવા ઇચ્છે તો પણ દુ:ખી ના થાય ...! પોઝીટીવ થીન્કીંગ –સકારાત્મક વિચારસરણી જ ધરાવનારો ... ખોટું થયું હોય તો પણ તેમાંથી સારી અને સાચી બાબત જ શોધી કાઢે અને સુખી થઇ જાય ...! ખરાબ બાબત પડતી મૂકી દે ...! મનસુખની એક બહેન હતી ,તેનો સબંધ ક્યાંય થતો નહોતો , ઉંમર વધતી જતી ...

નિર્બળ વિચારો કરવાથી તમે નિર્બળ બની ગયા છો

Image
        તમે કેવી નકામી વાત કરો છો! તમારા માં અદમ્ય શક્તિ રહેલી છે. માત્ર 'હું કંઈ નથી, હું કંઈ નથી', તેવો વિચાર કરવાથી તમે નિર્બળ બની ગયા છો. તમે એકલા જ નહીં, આખી પ્રજા તેવી બની ગઈ છે.      તમે એક વાર દુનિયાની મુસાફરી કરી આવો, તો તમને ખબર પડશે કે બીજી પ્રજાઓનો જીવનપ્રવાહ કેવો જોરદાર વહે છે, અને તમે લોકો શુ કરો છો? આટલું ભણ્યા પછી પણ તમે બીજાને બારણે ભટકો છો, અને "મને નોકરી આપો, મને નોકરી આપો" એમ પોકારો છો.    નિર્બળતાનો ઉપાય તેનો વિચાર કર્યા કરવો એ નથી, પણ શક્તિ નો વિચાર કરવો એ છે. - સ્વામી વિવેકાનંદ

ચૌલુક્ય કુલભૂષણ સોલંકી સૂર્ય વીર વચ્છરાજ (વાછરા દાદા) નું ઇતિહાસ

Image
શરણાગત સોંપે નહિ ,એવી રજપૂતો ની રીત મરે પણ મૂકે નહિ , ખત્રીવટ ખચીત… સિંધુ રાગ સોહામણો , શુર મન હરખ ન માય શીર પડે ને ધડ લડે,એના વધામણા વૈકુઠ જાય.. એકલ દેતા દાન જે , એકલ ઝુઝતા જંગ , એકલ જગ નીંદા સહે , એ મરદો ને રંગ … બહુચરાજી તાલુકાનું કાલરી ગામ જેમની જન્મભુમિ છે.અને રણ કાંઠો કમભમિ છે.એવા યુગ પુરુષ દાદા વચ્છરાજ સોલંકી ગૌરક્ષા કાજે વીરગતીને વહાલી કરી અમરત્વ પામ્યા છે.લાખો ભાવિકો ની શ્રધ્ધા અને આસ્થાના દેવ બન્યા છે.કાલરી ગામની પવિત્ર ભુમિ પર બાળપણમાં ગૌરક્ષાના સંસ્કારો મેળવનાર રાજવી કુવર લગ્નનીચોરીમાંથી ગૌમાતાને કસાઈઓના હાથમાંથી મુકિત અપાવવા યુધ્ધે ચડયા હતા.અને ગૌમાતાઓને મોતના મુખમાંથી બચાવી વીરગતી પામ્ય હતા.આવા અમરત્વ પામનાર દાદા વચ્છરાજ લાખો ભાવિકોની મનોકામના પુરી કરનાર જાગતા વીર તરીકે પુજાઈ રહયા છે.આથી કાલરી ગામે અને તેઓના સમાધી સ્થળે ચૈત્ર મહિનામા મેળો ભરાય છે. ત્યારે તેમની ગૌરવગાથા અને ઈતિહાસની યાદ શ્રધ્ધાળુ માટે પ્રેરણા દાઈ બની રહેશે. સમી તાલુકાના રણ કાંઠે આવેલ કોડધા ગામના રણમાં વિર વચ્છરાજ સોલંકી નુ સમાધી સ્થાન આવેલ છે. આ પવિત્ર સ્થાનની ઐતિહાસિક ધટના એવી છે કે :- ચોરીમા...

માથાનું દાન - ઝવેરચંદ મેઘાણી

Image
કોશલ દેશના મહારાજાની તોલે તો કોઈ ન આવે. દુઃખીને એ શરણ દેનારા અને દીનના એ પિતામાતા. એવાં એનાં યશોગાન ગવાતાં. પ્રભાતે એનું નામ લઈને લોકો પાવન થતાં. કાશીનગરીની અંદર એક દિવસ ઉત્સવ થાય છે દેવાલયોમાં ઘંટારવ બજે છે, લોકોનાં ટોળેટોળાં ગીતો ગાય છે : 'જય કોશલપતિ !' સાંજને ટાણે સ્ત્રીઓએ પોતાના આંગણામાં દીપમાળ પ્રગટાવી છે. કાશીરાજ પૂછે છે : 'આ બધી શી ધામધૂમ છે?' પ્રધાન કહે કે : 'કોશલના ધણીનો આજે જન્મદિવસ છે.' 'મારી પ્રજા કોશલના સ્વામીને શા માટે સન્માન આપે?' 'મહારાજ ! પુણ્યશાળી રાજા માત્ર પોતાના મુલકમાં જ નહિ પણ જગત આખાના હૃદય ઉપર રાજ કરે છે. એની માલિકીને કેાઈ માટીના સીમાડા ન અટકાવી શકે.' 'એ...એ...મ !' કાશીરાજે દાંત ભીંસ્યા, ઇર્ષાથી એનું હૃદય સળગી ઊઠયું. ચુપાચુપ એકવાર કાશીની સેનાએ કોસલ ઉપર છાપો માર્યો, સેનાને મોખરે કાશીરાજ પોતે ચાલ્યા. સેના વિનાનો એ નાનો રાજા કોશલેશ્વર બીજું શું કરે ? ખડગ ધરીને રણે ચડ્યો, હાર્યો, લજજા પામીને જંગલમાં ગયો. પોતાને નગર પાછા આવીને કાશીરાજ વિજયોત્સવની રાહ જોઈ ઊભા રહ્યા. 'કોશલનું આખું રાજ મેં કબજે કર્યું...

આહીર હરઘોળ સોનારા

Image
ભારત ની ભૂમિ પર આહીરોના ઉજળા ઇતિહાસ છે. એમાં ઝાલાવાડમાં આહીર હરઘોળ સોનારા ની સ્વામી ભક્તિ અને વફાદારી માટે આહીર સમાજનું મસ્તક ઉંચુ રહે છે. મચ્છુ નદીના સેંજળ પાણી પીયને વીર આહીર હરધોળ સોનારા એ હળવદ ના છત્રસાલજી ઝાલા રાજવીનું જીવના જોખમે રા'ભારા સાથે યુદ્ધમાં રાજવીને બચાવ્યા અને ચારસો વીર આહીરો વેગડવાવની ભૂમિમાં બલિદાન આપીને સાચી સ્વામી ભક્તિ નિભાવી છે એ માટે આહિર કુળ વફાદારી અને સમર્પણ માટે ઉજ્જવળ છે. જ્યાં જે ભૂમિમાં ઝાલા ગરાસિયાઓએ રાજ કર્યુ એ પ્રદેશ ઝાલાઓ પરથી ઝાલાવાડ તરીકે ઓળખાય છે. ખમીર ખુમારી અમીરાત રાજશાસન શૈલીથી ઝાલાઓ નો ઇતિહાસ સુવર્ણમય છે તે દી' સુરેન્દ્રનગર પ્રાંતના હળવદ રાજના છત્રસાલજી ઝાલા રાજવી છે. આ રાજવીનો સુવર્ણકાળ છે ન્યાય પ્રિય રાજવી ને પ્રજાના સુખે સુખી ને પ્રજાના દુઃખે દુઃખી છે. ખેડૂતોની જમીન વિકાસ માટે ઘણા સુધારા કર્યા છે. છત્રસાલજી શુરવીરની સાથે દાતાર છે ઝાલાઓ ની શોર્યકથાને કારણે આજે પણ હળવદના સીમાડે અને પાદરમાં પાળિયા, ખાંભીઓ, ડેરીયું, સિંદુર લગાડેલા સતીઓ ના થાપા સફેદ ધજાઓ સાથે ફડાકા મારે છે. છત્રસાલજીનો સુવર્ણકાળ છે તે ઇર્ષાખોર ખાટ સ્વાદિયાઓ કચ્છ...