મોજથી જીવનારા | નરસિંહ આહીર | કવિતા
પાણી વિનાના દરિયા છીએ વહેતા અમને ન આવડે. અમે હંમેશા મોજ માં રેનારા રડતા અમને ન આવડે. સદાય રહીએ છીએ હસતા અને બીજા ને હસાવતા, એમ દુઃખી થઈ ને જીવતે જી મરતા અમને ન આવડે. રડાવે અગર કોઈ પોતાનું તો આમ ખોટે ખોટું રડી લેતા, બાકી આપણા પોતાનાને જ રડાવતા અમને ન આવડે. હોય દુઃખોની ભરમાર પણ ખુદ ને જ ખાલી સંભળાવતા, સાચી ખોટી દુઃખોની વાર્તાઓ કહેતા અમને ન આવડે. હોય કોઈ ખોટું તો સાચું એને એના મોઢા પર કહી દેતા, આમ સાવ ખોટી હા માં હા મલાવતા અમને ન આવડે. બે જણ કોઈ વઢતા હોય બન્ને ને શાંતી થી સમજાવતા, ખોટે ખોટા ઝગડાઓમાં વચ્ચે પડતા અમને ન આવડે. લખે છે એક આયર પૂર્વજો ના સાચા અનુભવો પરથી ખોટે ખોટી વાતો ને કાગળ પર ચિતરતા અમને ન આવડે -નરસિંહ આયર