Posts

Showing posts from July, 2018

ચૌલુક્ય કુલભૂષણ સોલંકી સૂર્ય વીર વચ્છરાજ (વાછરા દાદા) નું ઇતિહાસ

Image
શરણાગત સોંપે નહિ ,એવી રજપૂતો ની રીત મરે પણ મૂકે નહિ , ખત્રીવટ ખચીત… સિંધુ રાગ સોહામણો , શુર મન હરખ ન માય શીર પડે ને ધડ લડે,એના વધામણા વૈકુઠ જાય.. એકલ દેતા દાન જે , એકલ ઝુઝતા જંગ , એકલ જગ નીંદા સહે , એ મરદો ને રંગ … બહુચરાજી તાલુકાનું કાલરી ગામ જેમની જન્મભુમિ છે.અને રણ કાંઠો કમભમિ છે.એવા યુગ પુરુષ દાદા વચ્છરાજ સોલંકી ગૌરક્ષા કાજે વીરગતીને વહાલી કરી અમરત્વ પામ્યા છે.લાખો ભાવિકો ની શ્રધ્ધા અને આસ્થાના દેવ બન્યા છે.કાલરી ગામની પવિત્ર ભુમિ પર બાળપણમાં ગૌરક્ષાના સંસ્કારો મેળવનાર રાજવી કુવર લગ્નનીચોરીમાંથી ગૌમાતાને કસાઈઓના હાથમાંથી મુકિત અપાવવા યુધ્ધે ચડયા હતા.અને ગૌમાતાઓને મોતના મુખમાંથી બચાવી વીરગતી પામ્ય હતા.આવા અમરત્વ પામનાર દાદા વચ્છરાજ લાખો ભાવિકોની મનોકામના પુરી કરનાર જાગતા વીર તરીકે પુજાઈ રહયા છે.આથી કાલરી ગામે અને તેઓના સમાધી સ્થળે ચૈત્ર મહિનામા મેળો ભરાય છે. ત્યારે તેમની ગૌરવગાથા અને ઈતિહાસની યાદ શ્રધ્ધાળુ માટે પ્રેરણા દાઈ બની રહેશે. સમી તાલુકાના રણ કાંઠે આવેલ કોડધા ગામના રણમાં વિર વચ્છરાજ સોલંકી નુ સમાધી સ્થાન આવેલ છે. આ પવિત્ર સ્થાનની ઐતિહાસિક ધટના એવી છે કે :- ચોરીમા...